Tuesday, November 13, 2018

મનોવિજ્ઞાન અને શિક્ષણના પ્રવાહો.

NPEGEL

Full form : National Programme for Education of Girls at Elementary level

પ્રારંભિક સ્તરે કન્યાઓના શિક્ષણ માટેની યોજનાઓ સુધારા ના ભાગ રુપે સરકારે એક નવા કાર્યક્રમ ને બહાલી આપી છે જે NPEGEL તરીકે ઓળખાય છે

NPEGEL એ SSA નો એક ભાગ છે

ધોરણ ૧ થી ૮ ની તક અને સુવિધા થી વંચિત
BRC

 Full form : Block  resource center

 તાલુકા સંશાધન કેન્દ્


➡ તાલુકા સંશાધન કેન્દ્ર એ તાલુકાના તમામ જૂથ સંસાધન કેન્દ્રો નુ મુખ્ય કેન્દ્ર છે .

 ➡  જૂથ સંશાધન કેન્દ્રમા ૮ કિમી મર્યાદા માં આવતી ૧૦ થી ૧૨ શાળા ઓનો સમાવેશ થાય છે

➡  BRC-  coordinator એ તાલુકા સંશાધન કેન્દ્રના વડા છે

➡  BRC-  coordinator એ DIET ના માર્ગદર્શન મુજબ ક્લસ્ટરના શિક્ષકોની તાલીમ યોજે છે


વિધાલક્ષ્મી બોન્ડ યોજના



➡  આ યોજના વર્ષ ૨૦૦૨-૨૦૦૩ થી શરુ કરવામાં આવી.



➡  જે વિસ્તારમાં કન્યા ઓના સાક્ષરતાનુ પ્રમાણ ૩૫% થી ઓછું હોય ત્યાં આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો ત્યારબાદ સમગ્ર રાજ્ય માં અમલમાં આવ્યો.

➡   આ કાર્યક્રમ અંતર્ગત કન્યા ધોરણ ૧ માં પ્રવેશ મેળવે ત્યારે ૨૦૦૦ રૂ. ના ચેક આપવામાં આવે છે અને ધોરણ ૮ પૂર્ણ કરે પછી તે રકમ વ્યાજ સહિત પરત મળે છે

વિધાદીપ યોજના 


 ૨૬ મી જાન્યુઆરી ૨૦૦૧ ના રોજ ભૂકંપ મા મ્રૃત્યુ પામેલા બાળકો ની યાદ મા વિધાદીપ યોજના શરૂ કરવા મા આવી હતી.



શાળા માં ભણતા બાળકો નુ અકસ્માતમાં મ્રૃત્યુ થાય ત્યારે તેના માતા પિતા કે વાલી ને આકસ્મિક આપત્તી મા મદદરૂપ થવા માટે આ યોજના શરુ કરવામા આવી.




રાજય ના ૮૫ લાખ વિદ્યાર્થીઓ ને ૨૪ કલાક નુ વિમા કવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે



અકસ્માત માં મ્રૃત્યુ પામનાર શાળાના વિદ્યાર્થી ને રૂ ૫૦૦૦૦/- ની વિમાની રકમ ચુકવવામા આવે છે .

ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળ




સ્થાપના : 21/10/1979



ધોરણ 1 થી 12 ના પાઠય પુસ્તકો બહાર પાડવાનું કામ કરે છે.

તે કુલ આઠ ભાષામાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરે છે.

ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, મરાઠી , હિન્દી , તમિલ એમ કુલ 8 ભાષામાં પુસ્તકો બહાર પાડે છે.

તેમાં સંસ્થાકીય માળખામાં સામાન્ય સભાના સભ્યોની સંખ્યા કુલ 32 હોય છે.

નિયામક સભાના સભ્યોની સંખ્યા 21 હોય છે.

કાર્યવાહક સભાના સભ્યોની સંખ્યા 11 હોય છે

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બાલસૃષ્ટિ નામનું સામાયિક પ્રકાશિત કરે છે.

 ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું આદર્શ વાક્ય    "તમાસો માં જ્યોતિર્ગમાંય" છે.

સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે શિક્ષણમંત્રી સ્થાન સંભાળે છે.

શૈક્ષણિક સમિતિમાં કુલ 13 સભ્યો હોય છે.


NCF- 2005 

Full form : National Curriculum Fram work

 રાષ્ટ્રીય અભ્યાસક્રમ પરિચર્યા


NCF- 2005 એ NCERT દ્વારા તૈયાર કરેલ દસ્તાવેજ છે.

NCF- 2005 એ આપણને શીખવાની પ્રક્રિયા તથા જ્ઞાન , અભ્યાસક્રમ રચનાના નિર્દેશક સિદ્ધાંત , અભ્યાસક્રમના ક્ષેત્રો તથા મૂલ્યાંકન આપ્યું

NCF- 2005 માટે પ્રો. યશપાલનુંમહત્વપૂર્ણ યોગદાન છે.

NCF- 2005 મુજબ બાળક જ્ઞાનનો સર્જક છે.

NCF- 2005 નો દસ્તાવેજ તૈયાર કરવા માટે 21 ફોક્સ ગ્રુપની રચના કરવામાં આવી

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી 


સ્થાપના : 01/12/1986

પ્રાથમિક શિક્ષણ માં વહીવટી વડા પ્રાથમિક સચિવ હોય છે.

શિક્ષણ વિભાગના સચિવશ્રીના નીચે પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષણ નું સંચાલન અને વહીવટ કરે છે.


પ્રાથમિક શિક્ષણ નિયામક ની કચેરી ગાંધીનગર માં આવેલી છે.

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળામાં ધોરણ 8 નો સમાવેશ જૂન  2010થી કરવામાં આવ્યો

ગુજરાત રાજય શાળા પાઠય પુસ્તક મંડળ 

સ્થાપના : 21/10/1979

ધોરણ 1 થી 12 ના પાઠય પુસ્તકો બહાર પાડવાનું કામ કરે છે.

તે કુલ આઠ ભાષામાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરે છે.

 ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, મરાઠી , હિન્દી , તમિલ એમ કુલ 8 ભાષામાં પુસ્તકો બહાર પાડે છે.

તેમાં સંસ્થાકીય માળખામાં સામાન્ય સભાના સભ્યોની સંખ્યા કુલ 32 હોય છે.

નિયામક સભાના સભ્યોની સંખ્યા 21 હોય છે.

કાર્યવાહક સભાના સભ્યોની સંખ્યા 11 હોય છે

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બાલસૃષ્ટિ નામનું સામાયિક પ્રકાશિત કરે છે.

  ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું આદર્શ વાક્ય    "તમાસો માં જ્યોતિર્ગમાંય" છે.

સામાન્ય સભાના અધ્યક્ષ તરીકે શિક્ષણમંત્રી સ્થાન સંભાળે છે.

શૈક્ષણિક સમિતિમાં કુલ 13 સભ્યો હોય છે.

કેળવણીની વિવિધ વ્યાખ્યાઓ 


➡ માનવીની સંપૂર્ણ વ્યક્તિમતા પ્રગટીકારણ એટલે કેળવણી - સ્વામી વિવેકાનંદ

➡શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને વિશ્વાસી બનાવે છે.- ઋગ્વેદ

➡ હું કદી શીખવતો નથી હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે - આઇનસ્ટાઇન

➡અંધકારમાંથી પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી - એચ.જી. વેલ્સ

➡કેળવણી એ બાળક યા માનવીના મન અને આત્માના ઉત્તમ અંશોનું આવિષ્કારણ - ગાંધીજી

➡Education is the creation of a sound mind in a body - એરિસ્ટોટલ

➡કેળવણી એટલે જ માનવ અને માનવ સમાજનું નિર્માણ - ડો . રાધાકૃષ્ણન

➡માણસ જ એક એવું પ્રાણી છે જેને કેળવી શકાય - મનુભાઈ પંચોળી

➡માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તે કેળવણી - યાજ્ઞવલ્કય

➡કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી છે - રુસો

➡તંદુરસ્ત શરીર માં જ તંદુરસ્ત મનનું ઘડતર થાય છે. - એરીસ્ટોટલ

અધ્યયનના પ્રકારો 

અભિસંધાન દ્વારા અધ્યયન

પ્રયોગ કર્તા: ઇવાન પાવલોવ

 તેમણે કૂતરા પર પ્રયોગ કર્યો હતો

 સિદ્ધાન્ત : પ્રબલનનો , સામાન્યીકારણ નો , વિલોપાનનો , ભેદબોધનનો

 ખોરાક: અનભિસંધિત ઉદ્દીપક

ઘંટડી: અભિસંધિત ઉદ્દીપક

 કારક અભિસંધાન

પ્રયોગ કર્તા : સ્કિનર

તેમણે ઉંદર અને કબુતર પર પ્રયોગ કર્યો હતો

✒હાથો દબાવાની ક્રિયા : ક્રિયાત્મક પ્રતિક્રિયા

✈વિમાન ઉડાડવું : કૌશલ
સાદામા સાદી શીખવાની પદ્ધતિ : અભિસંધાન

 પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન

પ્રયોગ કર્તા: ઈ.એલ.થોર્નંડાઈક

તેમણે ઉંદર અને બિલાડી પર પ્રયોગ કર્યાં હતા

સિદ્ધાન્ત : તત્પરતા, અસરનો અને પુનરાવર્તનનો

અંતરસુઝ દ્વારા અધ્યયન

પ્રયોગ કર્તા : કોહલર , કૉંફકા, વર્ધાયમર

તેમણે ચિમ્પાન્ઝી નામના વાંદરા પર પ્રયોગ કર્યો હતો



બુધ્ધિઆંક 


 બુધ્ધિઆંક શોધવાનું સૂત્ર ટર્મને આપ્યું હતું


 બુધ્ધિઆંક = માનસિકવય/શારીરિકવય ×100


બુધ્ધિઆંક                  બુદ્ધિકક્ષા

140 થી વધુ.    -    અતિ ઉત્તમ બુદ્ધિ


130 થી 139  -      અતિ વિશેષ બુદ્ધિ


120 થી 129 -        વિશેષ બુદ્ધિ


110 થી 119  -        અધિક સામાન્ય બુદ્ધિ


90 થી 109  -           સામાન્ય બુદ્ધિ


80 થી 89  -             ન્યૂન બુદ્ધિ


70 થી 79  -              અધિક ન્યૂન બુદ્ધિ


60 થી 69  -              મંદ બુદ્ધિ


60 થી ઓછો  -           મૂઢ બુદ્ધિ

❇શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા ઇવાન પેટ્રોવિચ પાવલોવ હતા


❇ઇવાન પેટ્રોવિચ પાવલોવે આપેલો શાસ્ત્રીય અભિસંધાન - S Stimulus પ્રકારનો છે


❇ઇવાન પેટ્રોવિચ પાવલોવે શાસ્ત્રીય અભિસંધાન સિધ્ધાંત માટે ભૂખનો પ્રયોગ - કુતરા પર કર્યો


❇ઇવાન પેટ્રોવિચ પાવલોવ મૂળ રશિયાના રહેવાસી હતા


❇જેના દ્વારા ઉત્તેજના ઉત્પન્ન થાય તેને ઉદ્દીપક કહે છે


❇કારક અભિસંધાનના પ્રણેતા બી.એફ.સ્કિનર હતા


❇કારક અભિસંધાન માં બી.એફ.સ્કિનરે પ્રચાર પર ભાર મુક્યો


❇કારક અભિસંધાન માં R (Response) પ્રકારનો સિદ્ધાન્ત છે


❇સ્કિનરે કારક અભિસંધાન માટે ઉંદર અને કબુતર પર પ્રયોગ કર્યા હતા.


❇કુદરતી કે સહજ  ઉદ્દીપકના નિયંત્રણ હેઠળ થતા પ્રચારને અનભિસંધિત પ્રતીચાર કહે છે


❇પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્ત થોર્નંડાઈકે આપ્યો


❇થોર્નંડાઈકનો જન્મ વિલિયમ્સબર્ગ માં થયો હતો


❇પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્ત થોર્નંડાઈકે  બિલાડી પર પ્રયોગ કર્યો


❇પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાન્તમાં થોર્નંડાઈકે કુલ 3 નિયમો આપ્યા


❇પુનરાવર્તનનો સિદ્ધાંત થોર્નંડાઈકે આપ્યો


❇સ્કિનરે હાવર્ડ યુનિવર્સિટી માં પ્રોફેસર તરીકે સેવા આપી હતી

❇આદર્શવાદના પ્રણેતા :- સોક્રેટિસ, પ્લેટો, પેસ્ટોલોજી,બર્કલ

❇પ્રકૃતિવાદીઓ: - હર્બટ સ્પેન્સર ,રુસો, ટાગોર,એરિસ્ટોટલ અને ફ્રોબેલ

❇વ્યવહારવાદ :- જ્હોન ડ્યુઈ, ચાર્લ્સ પર્સ

❇સંરચનાવાદ :- વુન્ટ , ટીચનર

❇સમષ્ટિવાદ :- કોહલર , કૉંફકા અને વર્ધાયમર

❇માનોવિશ્લેષણવાદ :- સિંગમન્ડ ફ્રોઈડ

❇માનવતાવાદી અભિગમ :- અબ્રાહમ મેસ્લો

❇શાહીના ડાઘાની કસોટી :- રોરશાક

❇એમિલ પુસ્તક :- રુસો

❇શક્તિ મનોવિજ્ઞાનનો સિદ્ધાંત :- ક્રિશ્ચિયન બર્નાડ

❇વ્યક્તિક મનોવિજ્ઞાન :- એડલર

❇ અભિપ્રેરણા નો સિદ્ધાંત :- યુંગ

❇બુદ્ધિ કસોટી :- આલ્ફ્રેડ બિન

❇બાળ વાનરો પર પ્રયોગ કરનાર : - હાર્લો

❇બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર :- ટર્મને 

વિવિધ અવસ્થાઓ  


  • ગર્ભાવસ્થા
  • શિશુવસ્થા
  • કિશોરાવસ્થા
  • તારુણાવસ્થા
  • પુખ્તાવસ્થા
  • પ્રૌઢાવસ્થા
  • વૃદ્ધાવસ્થા 

❇ગર્ભાવસ્થા : જન્મ પૂર્વેથી નવ મહિના

❇શિશુવસ્થા: જન્મથી 5 વર્ષ

❇કિશોરાવસ્થા: 6 થી 12 વર્ષ

❇તારુણાવસ્થા: 12 કે 13 થી 18 કે 19 વર્ષ

❇યુવાવસ્થા: 20 થી 40 વર્ષ

❇પ્રૌઢાવસ્થા: 40 થી 60 વર્ષ

❇વૃદ્ધાવસ્થા : 60 વર્ષથી પછીના 

વિકાસના વિવિધ ક્ષેત્રો



 શારીરિક વિકાસ: ઊંચાઈ , વજન અને સ્નાયુઓનો વિકાસ


માનસિક વિકાસ: તર્ક, ઉકેલ, ભાષા, સંસ્કૃતિ, ખ્યાલ, બુદ્ધિ , વિચાર અને પરિવાર


❇બાળક બે વર્ષે 272 શબ્દો બોલે છે 

❇બાળક પાંચ વર્ષે 2000 શબ્દો બોલે છે

❇બાળક 12 વર્ષે 10000 શબ્દો બોલે છે


સાંવેગિક વિકાસ : ભય, ક્રોધ, ગુસ્સો,પ્રેમ , ઈર્ષ્યા , પ્રસન્નતા અને હર્ષ

  ❇   IITE ❇

  Full form : Indian institute of teacher education 

  ઠરાવ : માર્ચ 2010

 સ્થાપના: 30 જૂન 2011

 ઉદ્દેશ : શિક્ષકોને સજ્જ કરી તાલીમ આપવી. 

 ટેકનિકલ હુન્નર અને કલા શીખવવી

તેની શાખાઓ :-

 સેન્ટર ફોર એજ્યુકેશન : જેમાં સળંગ ચાર વર્ષમાં B.sc, B.ed અને B.A B.ed નો સંકલિત કોર્સ ચાલે છે .


 સેન્ટર ફોર રિસર્ચ : જેમાં 19 જેટલા વિષયો પર Ph.d થાય છે .


  સેન્ટર ફોર એક્સટેન્સન : જેમાં અનુસ્નાતક અને ડિપ્લોમા  અભ્યાસક્રમ ચાલે છે.
 હાલમાં ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં કથળતા જતા શિક્ષણ ને ધ્યાનમાં રાખી તથાં વિદ્યાર્થીઓ નવા આધૂનીક ટેકનોલોજીકલ જમાના સાથે તાલ મીલાવી શકે  તે માટે ગુજરાત સરકાર દ્વારા પ્રાયોગીક ધોરણે સપ્ટેમ્બરથી સીલેકટેડ શાળાઓમાં આ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેકટ ને “જ્ઞાનકૂંજ” એવું નામ આપવામાં આવ્યું છે. 
  જ્ઞાનકૂંજ નો વીચાર મહારાષ્ટ્ર રાજયમાંથી લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર રાજયમાં શ્રી સંદિપ ગુંડ નામના એક નવયુવાન શિક્ષકે શિક્ષણમાં ડીઝીટલ દ્વારા પ્રાથમિક શિક્ષણમાં ક્રાંતિ લાવી પ્રાથમિક શાળાઓને ખરા અર્થમાં ડીઝીટલ બનાવી છે. ગુજરાત રાજયમાંથી માનનીય શિક્ષણમંત્રીશ્રી નાનુભાઇ વાનાણી અને શિક્ષણ ક્ષેત્રના અધિકારીઓની ટીમ મહારાષ્ટ્ર રાજયમાં આ પ્રોજેકટ માટે અભ્યાસ અર્થે ગયેલ અને તેમાંથી વિચારણા કરી સૂધારા વધારા સાથે ગુજરાત રાજયમાં પણ આ પ્રોજેકટ અમલી બનાવેલ છે. 
જ્ઞાનકૂંજ પ્રોજેકટની મુખ્ય બાબતો :- 
 પ્રોજેકટનો અમલ :- સપ્ટેમ્બર 2017 થી
પ્રથમ તબક્કામાં રાજયની 1200 શાળાઓ અને તમામ કે.જીબી.વી. શાળાઓમાં આ પ્રોજેકટનો અમલ કરેલ છે. 
આ પ્રોજેકટ અંતર્ગત ધોરણ 7 અને 8 માટે ડીઝીટલ વર્ગો ઉભા કરેલ છે.
 આ પ્રોજેકટ અંતર્ગત ભણાવતા શિક્ષકોને “ટેકનોસેવી ટીચર” એવું નામ આપેલ છે. 
આ પ્રોજેકટ અંતર્ગત ધોરણ 7 અને 8 ના વર્ગો માટે નીચેની વસ્તૂઓ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. 
2 લેપટોપ, 2 પ્રોજેકટર, 2 IR કેમરા, 2 વ્હાઇટ બોર્ડ, 2 IR પેન, 2 સાઉંડ સીસ્ટમ, અન્ય વસ્તૂઓ
 આ પ્રોજેકટ અંતર્ગત સંપૂર્ણ શિક્ષણ લેપટોપ અને પ્રોજેકટરનો ઉપયોગ કરીને ડીઝીટલ પધ્ધતીથી આપવામાં આવે છે. 
 આ પ્રોજેકટ અંતર્ગત નેટ કનેકશન માટે સરકાર દ્વારા રૂ. 10000 અલગથી ગ્રાન્ટ આપવામાં આવે છે.

(૧) હાલમાં જ પ્રાથમીક શાળાઓમાં આવેલો નવતર શૈક્ષણીક પ્રોજેકટ કયો છે ? 
   (A)  ડીજીટલ શિક્ષણ
  (B)      ઇ શિક્ષણ    
    (C)    જ્ઞાનકુંજ પ્રોજેકટ     (D)  ચોક એન્ડ ટોક પ્રોજેકટ

 (૨) જ્ઞાનકુંજ પ્રોજેકટ      માં પ્રાથમીક શાળાઓમાં કયા ધોરણ ને આવરી લીધેલ છે ? 
   (A)  ધોરણ ૬ થી ૮   
  (B)  ધોરણ ૧ થી ૮  
  (C)   ધોરણ ૮  
   (D)  ધોરણ ૭ અને ૮

 (૩) જ્ઞાનકુંજ પ્રોજેકટ   હાલ રાજયની કેટલી શાળાઓમાં લાગૂ કરેલ છે ? 
   (A)  ૧૦૦ શાળાઓ
  (B)  ૧૨૦૦ શાળાઓ
   (C)  તમામ શાળાઓ  
   (D)  ૫૦૦૦ શાળાઓ

 (૪) જ્ઞાનકુંજ પ્રોજેકટ   નું મોડેલ કયા રાજયની શિક્ષણ પ્રણાલીમાથી પ્રેરણા લઇ ઉભૂં કરેલ છે ? 
   (A)  રાજસ્થાન  
   (B)  મહારાષ્ટ્ર  
   (C)    કેરલ 
   (D)  દીલ્હી

 (૫) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં કયા કયા સાધનો રાજય સરકાર પૂરાં પાડશે ? 
   (A)  લેપટોપ/કોમ્પ્યુટર 
 (B)  પ્રોજેકટર 
  (C)  IR કેમેરા   
 (D)  ઉપરના તમામ

 (૬) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં શેના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે ? 
   (A)  ચોક એન્ડ ટોક દ્વારા 
  (B)   ઇંટરરેક્ટીવ બોર્ડ દ્વારા   
  (C)   વીડીયો દ્વારા 
  (D)  એપ્લીકેશન દ્વારા

 (૭) ડીજીટલ શિક્ષણ  દ્વારા મહારાષ્ટ્ર માપ્રાથમીક શાળાઓમાં જબરદસ્ત ક્રાંતી લાવનાર શિક્ષકનું નામ શું છે ? 

   (A)  સંદીપ પાટીલ
  (B)   વીનેશ ચૌહાણ   
 (C)  સંદીપ ગુંડ   
 (D)  પ્રણવ સુથાર

(૮) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં જોડાયેલ શિક્ષકને કયા નામે ઓળખવામાં આવે છે ? 

   (A)  સ્પેશીયલ ટીચર  
 (B)  ઇનોવેટીવ ટીચર  
  (C)  ટેકનોસેવી ટીચર   
 (D)  ટીચર વીથ ટેકનોલોજી

 (૯) જ્ઞાનકુંજ પ્રોજેકટ   અંતર્ગત કેટલી શાળાઓમાં વિદ્યાર્થીદિઠ પર્સનલ ટેબલેટ આપવાનો લક્ષ્યાંક છે ? 
   (A)  ૧૦૦૦ શાળાઓ 
 (B)   ૧૦૦ શાળાઓ   
  (C)   ૨૨૦૦ શાળાઓ   
  (D)  ૧૨૦૦ શાળાઓ  

(૧૦) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં એજન્સી દ્વારા શિક્ષકોને કેટલો સમય તાલીમ આપવામાં આવશે ? 
   (A)  ૧૫ દિવસ 
 (B)  ૧માસ  
   (C)  ૬ માસ   
 (D)   ૩ માસ

 (૧૧) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માં પ્રોજેકટની સફળતા-નિષ્ફળતા માટે સંપૂર્ણજવાબદારી કોની નિયત કરેલી છે ? 

   (A)  એજન્સીની
  (B)    શિક્ષકની
  (C)  સી.આર.સી.ની 
   (D)  ડી.પી..ઈ.ઓ. ની

 (૧૨) જ્ઞાનકુંજ પ્રોજેકટ   માંનીચેનામાંથી કયા સાધનો નો ઉપયોગ કરશો ? 
   (A)  ઇન્ફ્રારેડ કેમેરા  
(B)   વ્હાઇટ બોર્ડ   
 (C)  વાઇ ફાઇ રાઉટર  
  (D)  ઉપરના તમામ

 (૧૩) જ્ઞાનકુંજ પ્રોજેકટ   નું અમલીકરણ કેવી શાળાઓમાં થનાર છે ? 
   (A)  પ્રજ્ઞા શાળામાં 
 (B)   એસ.એસ.એ. પસંદ કરે તે શાળામાં  
 (C)  ટેકનીકલી સુ સજ્જ શિક્ષકો હોય તે શાળામાં  
 (D)   એચ.ટાટ આચાર્ય હોય તે શાળામાં

 (૧૪) જ્ઞાનકુંજ પ્રોજેકટ   નું ડેઇલી રીપોર્ટીંગ કઇ રીતે કરવામાં આવશે ? 
     (A)  સી.આર.સી. દવારા 
    (B)    એસ.એસ.એ. કચેરી દ્વારા   
   (C)  વેબ બેઇઝ એપ્લીકેશન દ્વારા
    (D)  મોનીટરીં ટીમ દ્વારા
Previous Post
Next Post
Related Posts

0 comments: